Menu Close

117 Dignitaries of country in support of Nupur Sharma-દેશના 117 બુદ્ધિજીવીઓ નૂપુર શર્મા કેસમાં સુપ્રીમના જજ દ્વારા કરવામાં આવેલ વલણને વખોડ્યું

Nupur sharma

હાલમાં ખૂબ વિવાદીત બનેલ, નૂપુર શર્મા(Nupur Sharma) નિવેદન કેસમાં, નૂપુરે ભારતનાં ઉચ્ચતમ ન્યાયાલયમાં(Hight Court) એક અરજ-(પીટીશન) આપેલ હતી જેમાં તેણીએ પોતાની ઉપર દેશભરમાં અલગ અલગ સ્થળો એ થયેલ ફરિયાદો, FIRની સુપ્રીમ-કોર્ટ(Supreme Court) મા એક જ સાથે સુનાવણી કરવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટની પેનલ-જજોની ટીમના બે ન્યાયાધીશોએ નૂપુરની આ માગણીને ફગાવી દીધી, અને તે ઉપરાંત ટિપ્પણી કરી હતી. નુપુરનાં નિવેદનને તેમણે દેશની સુરક્ષા સામે ખતરો ગણાવ્યો.

ઉચ્ચતમ અદાલતના ન્યાયાધિશાઓની આ ટિપ્પણી સામે દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે. લગભગ 117 બુદ્ધિજીવી ભારતીય નાગરિકો, 25 જેટલા પૂર્વ-લશ્કરી અધિકારીઓ, નિવૃત હાઈકોર્ટના જજ, CBI ડાયરેક્ટર તેમજ નિવૃત સેનાના અધિકારીઓ એ સહી કરી. ઉચ્ચતમ ન્યાયાલયના CJI-ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને, ખુલ્લો પત્ર લખી સંયુક્ત રજુઆત કરતાં જણાવ્યું કે, આ રીતે નૂપુરની અરજને ફગાવવી, તે એક કમનસીબ અને ન્યાયના મૂળભૂત સિધાંતો જોગવાઈઓ થી વિરુદ્ધ છે. જેનો તેઓ સવિનય વિરોધ કરે છે. આ બાબતે ફેર વિચારણા થવી જરૂરી છે, તેવો સુર નીકળે છે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *