– વિસ્તારમાં લાગી વિકરાળ આગ
– આગમાં 40થી 50 ઝૂપડા બળીને ખાખ થયા
– આગ બાજુમાં આવેલી ગૌશાળામાં ફેલાતા ત્યાં બાંધેલી 100 જેટલી ગાયો જીવતી સળગી ગઈ હોવાની જાણકારી
– અનેક મરઘા પણ બળીને ખાખ થઇ ગયા હોવાની માહિતી
– ફાયર ફાઈટની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યાઆગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી
ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ સ્થિત કનવાણી પુસ્તા ઝૂંપડપટ્ટીમાં (Ghaziabad Indirapuram Kanawani Village Fire) વિકરાળ આગ લાગી હતી જેમાં 40થી 50 ઝૂપડા બળીને ખાખ થઈ ગયા.
કાળજું કંપાવનારી ઘટના એ બની કે આગ બાજુમાં આવેલી ગૌશાળામાં ફેલાઈ અને જોતજોતામાં ત્યાં બાંધેલી ગાયોને આગે ચપેટમાં લઈ લીધી હતી. 100થી વધારે ગાયો જીવતી સળગી ગઈ હતી. અત્યાર સુધીમાં લગભગ 49 ગાયોના મોત થયા હોવાના સમાચાર છે.(Fire reached the cowshed nearby and has killed over 100 cows)
પ્રશાસન દ્વારા ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
જાણકારી અનુસાર ઘટનાનું સ્થળ ગેસ સિલિન્ડરનું ગોડાઉન (Gas Cylinders Godown) મનાઈ રહ્યું છે. આગ દરમિયાન 10થી વધુ ગેસ સિલિન્ડર ફાટ્યા હોવાની જાણકારી છે.
જેમાંથી 2 મોટા અને 8 નાના સિલિન્ડર મળી આવ્યા છે. તેમજ આ આગમાં અનેક મરઘા પણ બળીને ખાખ થઇ ગયા હોવાની માહિતી મળેલ છે.
Read Latest Vadodara News.